રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર

પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર

જી.ડી. મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાયા

ઘોડેસવારી, બાઈક રેલી અને બેન્ડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

‘તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છે...’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે પાલનપુર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

95.jpg 175.01 KB
જી.ડી. મોદી કોલેજથી શરૂ થયેલી યાત્રા ગુરુનાનક ચોક, સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈ શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં 10 હજારથી વધુ નાગરિકો, યુવાનો, મહિલાઓ, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.તિરંગા યાત્રામાં ઘોડેસવારી, બાઈક રેલી, પોલીસ બેન્ડ અને ડી.જે. સહિતની દેશભક્તિમય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. 
96.jpg 284.43 KB
 આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રાથી પાલનપુરનું સમગ્ર વાતાવરણ તિરંગામય બન્યું છે.જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રેલીમાં નાગરિકો, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ- કર્મચારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે આશરે 10 હજાર નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો હતો, જ્યારે પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના આશરે 500 જવાનો બેન્ડ અને હોર્સ શો સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

 આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી ઓ-કર્મચારીઓ, પદાધિકારી ઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર