રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર
મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો: અમીરગઢ તાલુકાના કિડોતર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃતદેહ ગુરુવારે કૂવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જો કે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના પગલે અમીરગઢ તેમજ એલસીબી તેમજ એ.એસ.પી સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પરિવારને મૃતદેહ  સ્વીકારવા સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ કિડોતર ગામે રહેતા એક રબારી પરિવારની કિશોરી છેલ્લા એક અઠવાડિયા થી ગુમ થઈ હતી જેથી આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારને જણાવ્યું હતું કે તમે પણ શોધખોળ કરો અને અમે પણ શોધખોળ કરીએ જેથી પરિવાર સગીરાની શોધખોળ કરતો હતો તે સમય દરમિયાન ગુરુવારે કીડોતર ગામે આવેલા કુવા માંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો જો કે પીએમ થઈ ગયા બાદ પણ પરિવારજનો એ મૃતદેહ ન સ્વીકારતા ઘટનાને પગલે દોડી આવેલા મહિલા અધિકારી એ.એસ.પી તેમજ એલસીબી પીઆઇ,અમીરગઢ પીઆઇ સહિતના અધિકારીઓએ પરિવારને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી મૃતદેહ સ્વીકારવા અંગે સમજાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

સંબંધિત સમાચાર