રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ21 એપ્રિલ, 2025| Super Admin

પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી

પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી
પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત સુંદર કાર્ય કરી રહેલ છે. આસપાસના વિસ્તારમાંથી આવતી આર્થિક રીતે ગરીબ દીકરીઓને પગભર બનાવવા માટે બ્યુટી એન્ડ વેલનેસ અને હેલ્થ કેર વ્યવસાયલક્ષી શિક્ષણની સુંદર કામગીરી આ શાળામાં થઈ રહી છે. આ કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાય છે ત્યારે પાટણ જીલ્લાની તથા નજીકના જીલ્લાની અનેક શાળાઓએ કે કે ગર્લ્સ હાઇસ્કૂલની વોકેશનલ પ્રેક્ટીકલ લેબ ની મુલાકાત લઇ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ છે. તેમના પ્રયાસથી પ્રેરાઈ બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાની શ્રીમતી એસ.આર મહેતા વિદ્યાલય,રૈયાની 50 જેટલી દીકરીઓએ વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત બન્ને પ્રેકટીકલ લૅબની મુલાકાત લઇ આ બંને ટ્રેડ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત કરેલ હતું. પાટણ શહેરની મધ્યમાં આ શાળા દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત થયેલું કામ પ્રશંસનીય છે. મુલાકાત લેનાર તમામ શાળાઓ અનેક પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરી આગળ વધી રહી છે તેમજ શાળાની દીકરીઓ પણ આર્થિક રીતે પગભર બની રહી હોવાનું શાળાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર