રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા-જૂનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ, લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી

ડીસા-જૂનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ, લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી
ડીસા-જૂનાડીસા-વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી બેફામ દોડી રહેલા રેતીના ડમ્પરોને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. આ માર્ગ પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ, વાસણા ગોળીયા ગામના યુવાનનું દુર્ઘટનામાં કરુણ મોત થયું હતું. આ ઉપરાંત, એક 17 વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે, જૂનાડીસા, વાસણા, જાબડીયા સહિતના પાંચથી વધુ ગામના લોકોએ મૌન રેલી યોજીને ડીસાનાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સ્થાનિકોએ આ રોડ પરથી પસાર થતા રેતીના ડમ્પરો પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ માટે તેમણે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં રેતીના ડમ્પરોને નદી માર્ગે ડાયવર્ઝન આપીને સીધા નેશનલ હાઈવે પર જોડવામાં આવે તેમજ ગામના માર્ગો પર પ્રતિબંધ કરી બનાસ નદી તરફથી આવતા કનેક્ટેડ રોડ પર બેરિકેડ્સ મૂકવામાં આવે જેથી ભારે વાહનો ગામના રસ્તાઓ પર પ્રવેશી ન શકે.આ ઉપરાંત છત્રાળા તરફથી નેશનલ હાઈવે સુધી (લગભગ 3 કિલોમીટર) નવો રસ્તો બનાવવામાં આવે, કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર તાત્કાલિક અને સખત પગલાં ભરે તેવી આશા છે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને સ્થાનિકોને રાહત મળી શકે. જો આગામી સમયમાં આ ડમ્પરો બંધ નહીં થાય તો વધુ લોકો આ આંદોલનમાં જોડાઈને કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સંબંધિત સમાચાર