રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

અંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ

અંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ

યાત્રાધામ અંબાજીના પવિત્ર ગબ્બર પર સ્થિત માં કામાખ્યા શક્તિપીઠના દ્વાર શ્રદ્ધાળુઓ માટે પુનઃ ખોલી દેવામાં આવ્યા છે. દર વર્ષની જેમ યોજાતો પરંપરાગત અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવો 'અંબુવાચી મહોત્સવ' વિધિવત રીતે પૂર્ણ થતાં જ શુભ મુહૂર્તમાં માતાજીના કપાટ ખોલવામાં આવ્યા હતા. મહોત્સવ દરમિયાન નિયમ મુજબ ત્રણ દિવસ માટે માતાજીના દર્શન સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અંબુવાચી ઉત્સવ સંપન્ન થતાં અને મંદિરના દ્વાર ખુલતાં જ માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ શંખનાદ અને જયઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ટેગ્સ:#Ambaji#Banaskantha

સંબંધિત સમાચાર