રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

પાલનપુરથી 30 કી.મીના અંત્તરે આવેલુ પાણીયારી ચોમાસામાં કુદરતી સૌદર્ય સોળેકળાએ ખીલ્યુ

પાલનપુરથી 30 કી.મીના અંત્તરે આવેલુ પાણીયારી ચોમાસામાં કુદરતી સૌદર્ય સોળેકળાએ ખીલ્યુ
પ્રકૃતિના ખોળે આવેલું પાણીયારી પર્યટકોનું ફેવરેટ સ્થળ જોવા મળ્યુ; થી 30 કિલોમીટરના અંત્તરે આવેલું પાણીયારી સ્થળ ચોમાસાની સિઝનમાં પર્યટકો માટે ફેવરેટ સ્થળ માનવામાં આવી રહ્યું છે જ્યાં પર્યટકો દૂર દૂરથી આ કુદરતી નજારાને માણવા આવી રહ્યા છે. પાલનપુર થી 30 કી. મી ના અંતરે કુદરતી સૌંદર્ય ભરેલું પાણીયારી આવેલું છે આ પાણીયારી પર નેચરલી ગ્રીનરી સાથે પહાડોમાંથી ધોધ વહેતો હોવાથી ધોધમાં પર્યટકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે આ પર્યટક સ્થળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું હોવાથી લોકો આ સ્થળને વધુ પસંદ કરતા હોય છે.પર્યટકો માટે આ સ્થળ ફેવરેટ માનવામાં આવે છે તેમજ પર્યટકો પરિવાર સાથે મિત્રો સાથે આવી દિવસ પસાર કરતા હોય છે લોકો રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પાણીયારી આવીને અને ધોધ નીચે સ્નાન કરી આનંદ પ્રમોદ માણતા જોવા મળ્યાં હતાં.

સંબંધિત સમાચાર