રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 જુલાઈ, 2025| Super Admin

ગૌરી વ્રત; અંબાજીના માનસરોવરમાં મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભીડ જોવા મળી

ગૌરી વ્રત; અંબાજીના માનસરોવરમાં મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભીડ જોવા મળી
કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી કન્યાઓ રાજસ્થાની શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરુ થતા હોય છે આ પાંચ દિવસ ગૌરી વ્રતમાં બાલિકાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીજી ને રીઝવવાના પ્રયાસ કરે છે આજથી શરુ થયેલા ગૌરી વ્રતને લઇ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી. જોકે આ ગૌરી વ્રત બાલિકાઓ નાની ઉમરે થીજ વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી યુવાન વયે સદગુણી પતિ મળે ને સાથે પોતાના ઘર પરિવારમાં સુખશાંતિ પ્રાપ્ત થાય તે માટે આ પાંચ દિવસના મોળાકત (અલૂણાં)વ્રત કરે છે આ વ્રત બાલિકાઓ ખાસ કરીને સાત થી પંદર વર્ષ સુધિ બાલિકાઓ વ્રત શરુ કરે ત્યાર થી પાંચ વર્ષ સુધી આ પાંચ દિવસના ગૌરી વ્રત કરે છે સાથે શિવજીની પૂજા અને પીપળે પીપળના પાનમાં દીવો મૂકી આરતી ઉતારે છે. અને ત્યાર બાદ ગૌરી વ્રતની કથાનું પઠન કરે છે ને ફરી એક વાર મહાદેવજી ની પ્રતિમા સમક્ષ સૂર્ય ભગવાનને પાણી થી અરક આપી શિવજીને પગે લાગી વ્રત કરે છે. જોકે હિન્દૂ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે શિવ પુરાણમાં લખ્યું છે તેમ હિમાલય પુત્રી દેવી પાર્વતી એ ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત કર્યા હતા ને તે પરંપરાને આજની કુંવારી દીકરીઓ પણ સારા પતિ માટેની ઈચ્છા સાથે આ વ્રત કરે છે.

સંબંધિત સમાચાર