રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા18 એપ્રિલ, 2025| Super Admin

સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના મેઘપુરા ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા

સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના મેઘપુરા ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા

સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના મેઘપુરા ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ગામના યુવા એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની કુલ વસ્તી 650 ની છે જે સરકારના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ/પશુ દીઠ 70 લીટર પાણી એટલે કે 45500 લિટર પાણીની જરૂરિયાત હોય તેના બદલામાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ઓછું આવે છે તેમજ પાછળના પાંચ દિવસથી બિલકુલ પીવા માટેનું પાણી આવેલ નથી જે અંગેની રજૂઆત નાયબ પાલક એન્જિનિયર પાણી પુરવઠા વિભાગ ભાભર તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરેલ હતી અને કાયમી ધોરણે પાણીના પ્રશ્નનો નિકાલ આવે તેવો તેવી લેખિત રજૂઆત કરી હતી

સંબંધિત સમાચાર