બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ખેડા ભાખર ગામમાં રવિવારે રાત્રે એક રહેણાંક મકાન પર આકાશી વીજળી પડી હતી. આ ઘટના ગામના માલાજી બનાજી ઠાકોરના મકાન પર બની હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
વીજળી પડવાના કારણે મકાનનું લાઈટિંગ બોર્ડ અને વીજ વાયરો બળી ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની નોંધાઈ નથી.બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.સદનસીબે જાનહાની ટળી જતા હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો.





