રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા27 જુલાઈ, 2026| Super Admin

ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

સતત ૫ વર્ષથી શાળા જળબંબાકાર થવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સોંપાયેલું વહીવટી તંત્ર ક્યારે જાગશે 

 મંત્રીઓ-નેતાઓની ખાલી હોળીની બાંહેધરીઓ સામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ

 વાવ થરાદ  જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા સ્થિત 'સંસ્કાર વિદ્યાલય' ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થવાને આરે આવીને ઊભું છે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન શાળા પરિસરમાં જળબંબાકારની આ જ પરિસ્થિતિ સર્જાય છે. તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી ​ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ માં પણ શાળાની અંદર ભયંકર પૂર જેવા પાણી ભરાઈ જવાથી શાળાની મિલકત અને  સુવિધાઓને મોટું આર્થિક નુકસાન થયું હતું તે સમયે પણ તંત્ર દ્વારા માત્ર 'નોંધ' લેવામાં આવી હતી. પરંતુ ઢીમા પંથકના આ સંવેદનશીલ પ્રશ્ને આજદિન સુધી કોઈ નક્કર કે કાયમી કામગીરી કરવામાં આવી નથી ​ ઢીમા ગામની આગળ આવેલા પ્રરતાપુરા, ઈઠાટા, જમડા, અંબાળા સહિતના અનેક આજુબાજુના ગામોનું તમામ વરસાદી પાણી નિકાલ પામીને મુખ્ય સંસ્કાર વિદ્યાલયના રસ્તા પરથી જ પસાર થાય છે. યોગ્ય ડ્રેનેજ કે કાયમી કાંસ કેનાલ/નિકાલ ની વ્યવસ્થા ના હોવાને કારણે આ બધું જ પાણી સીધું સંસ્કાર વિદ્યાલયના કેમ્પસમાં ભરાઈ જાય છે. 

72.jpg 166.79 KB
આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વાર જવાબદાર અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને મંત્રી ઓ સુધી પણ લેખિત રજૂઆતો પહોંચાડવામાં આવી છે. અનેક ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ આવીને પરિસ્થિતિની નોંધ પણ લીધી છે. પરંતુ અફસોસની વાત એ છે કે ચોમાસું આવે તે પહેલાં કોઈ જ આગોતરા પગલાં લેવામાં આવતા નથી તંત્રની આ ઘોર બેદરકારી અને 'કુંભકર્ણી નિંદ્રા'ના કારણે દર ચોમાસે નાના-મોટા અસંખ્ય બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. અને તેઓના જીવનું જોખમ પણ ઉભું થાય છે

​સ્થાનિકો અને વાલીઓની સખત શાળા સંચાલકો, વાલીઓ અને ગ્રામજનોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણીના કાયમી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી રહી છે

ટેગ્સ:#Banaskantha#Dhima

સંબંધિત સમાચાર