દિયોદરના ઢાળ ઉપરના વિસ્તારમાં રહેતા દેવીપુજક સમાજનો ૧૧ વર્ષીય બાળક શ્રવણભાઈ શોભાજી દેવીપૂજકનો કુદરતી હાજતે જવા ગયેલ. જેમાં અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, સ્થાનિક યુવાનોની નજર પડતાં તેમણે સમયસૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું, ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગતરાત્રીના રોજ થયેલા ભારે વરસાદના કારણે દિયોદરમાં અનેકવિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે દેવી પૂજક પરિવાર રહે છે ત્યાં ચારે તરફ પાણી ભરાયા છે. ત્યારે મૃત્યુ પામેલ ૧૧ વર્ષીય માસૂમ બાળકના પિતા છ વર્ષ પૂર્વે અવસાન પામેલ છે. અને માતાએ બીજા લગ્ન કરતાં બે ભાઇ-બહેન અનાથ બનતા કાકા ચમનજી હરદાસ દેવીપુજકને ત્યા રહે છે. ભાઇ મરણ પામતા ચાર વર્ષની બહેન નિરાધાર બનવા પામેલ છે. અકાળે અવસાનથી દેવીપૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.





