રાહ ખાતે આજે મામલતદાર કચેરીએ ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા સરકાર સમક્ષ ભાવુક અને દૃઢ રજૂઆત કરવામાં આવી. ગૌસંવર્ધન અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. આવેદન દરમિયાન ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવ્યો હતો. ગૌભક્તોએ જણાવ્યું કે ગૌરક્ષા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાનો વિષય છે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.
રાહ ખાતે ગૌભક્તોનો હુંકાર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
વાવ-થરાદકાંકરેજ-ઓગડ તાલુકાની સંકલન બેઠક: હાઇવે ઓથોરિટી સામે તંત્રની લાલ આંખ
1 દિવસ પહેલા
વાવ-થરાદથરાદના ખેડૂતોની વેદના: સુજલામ સુફલામ નહેરને રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવા ઉઠી માંગ
1 દિવસ પહેલા
વાવ-થરાદઢીમામાં તંત્રનું મેગા ઓપરેશન: સરકારી જમીનો પરના દબાણો પર બુલડોઝર ફર્યું
2 દિવસ પહેલા
વાવ-થરાદથરામાં ખુલ્લી ગટરમાં સ્કોર્પિયો ખાબકી, તંત્રની બેદરકારી સામે લોકોનો રોષ
2 દિવસ પહેલા
