છેલ્લા કેટલાય સમયથી સરહદી પંથકની કેનાલો તૂટી રહી છે. ખેડૂતો બૂમ બરાડા કરી રહ્યા છે. તેમ છતાં નર્મદા વિભાગના ઝાડી ચામડીના અધિકારીઓના પેટમાંથી પાશેર પાણી પણ હલતું નથી કે પછી તપાસ પણ થતી નથી? એજ સમજાતું નથી. ગતરોજ કરોડો રૂપિયાના ખર્ચે બની ચુકેલી વાવ તાલુકાની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ એવી માલસણ બ્રાન્ચમાંથી નીકળતી વાવડી" માઇનોરમાં બેથી ત્રણ જગ્યા એ મોટા ગાબડાં પડ્યા છે.
જોકે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ થોડા સમય પહેલા રીપેર થયેલી જગ્યા ઉપર પણ કેનાલ તૂટી ગઈ છે. જોકે આજદિન સુધી કેનાલોમાં થતી રિપેરીગની કામગીરી હોય કે પછી સફાઈ કામગીરી હોય? 50 ટકા કામગીરી કાગળ ઉપર બોલતી હોય છે. અને જે રિપેરીગની કામગીરી કરવામાં આવે છે તેની પણ કોલીટી કે કોન્ટેટી જળવાતી નથી. જોકે દેવપુરાથી સુઇગામ સુધી ચાલતી નવીન કામગીરીના 100 કરોડથી વધુ રકમના રનિંગ કામમાં પણ તાજેતરમાં વરસાદી પાણીથી કેનાલ તૂટી હતી છતાં પણ એજન્સીનું કે નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હલ્યું નથી.""રામ જાણે કોના ચાર હાથ છે"





