અમીરગઢ કિસાનોની પડતર માંગણીને લઈ મામલતદારને આવેદન આપ્યું

જૂની પડતર માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કમોસમી વરસાદ અને વધુ કે ઓછા વરસાદને લીધે જ્યારે ત્યારે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આખરે ખેડૂતને નુકશાન તો ભોગવવુજ રહ્યું. પરંતુ કેટલીક વાર સરકાર ખેડૂતોને રાહત આપી તેમનો બોજો હળવો કરતી હોય છે. ત્યારે આજરોજ અમીરગઢ ખેડૂતોએ જૂની પડતર માંગણીઓને લઈ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નિયત સમયમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદે મગફળી રાઈ જીરું વરિયાળી બાજરી સહિતના પાકોને નુકશાન થયું છે. ત્યારે તેના ઘણા ખરા સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી. તેને જલ્દીથી કરવામાં આવે અને અન્ય માંગણીઓ પણ જલ્દીથી પૂરી થાય અને તેનું નિરાકરણ કરવામાં આવે જેથી ખેડૂતોને સહાય થઈ શકે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
6 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
