અમીરગઢ કિસાનોની પડતર માંગણીને લઈ મામલતદારને આવેદન આપ્યું

જૂની પડતર માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કમોસમી વરસાદ અને વધુ કે ઓછા વરસાદને લીધે જ્યારે ત્યારે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આખરે ખેડૂતને નુકશાન તો ભોગવવુજ રહ્યું. પરંતુ કેટલીક વાર સરકાર ખેડૂતોને રાહત આપી તેમનો બોજો હળવો કરતી હોય છે. ત્યારે આજરોજ અમીરગઢ ખેડૂતોએ જૂની પડતર માંગણીઓને લઈ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નિયત સમયમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદે મગફળી રાઈ જીરું વરિયાળી બાજરી સહિતના પાકોને નુકશાન થયું છે. ત્યારે તેના ઘણા ખરા સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી. તેને જલ્દીથી કરવામાં આવે અને અન્ય માંગણીઓ પણ જલ્દીથી પૂરી થાય અને તેનું નિરાકરણ કરવામાં આવે જેથી ખેડૂતોને સહાય થઈ શકે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
2 દિવસ પહેલા
