રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ15 મે, 2026| Super Admin

સાંતલપુર માર્ગ પર અકસ્માત: કારની ટક્કરે બે ભેંસના કરુણ મોત, ત્રણ પાડીઓ ઈજાગ્રસ્ત

સાંતલપુર માર્ગ પર અકસ્માત: કારની ટક્કરે બે ભેંસના કરુણ મોત, ત્રણ પાડીઓ ઈજાગ્રસ્ત

પશુપાલકે રૂ. 2 લાખના નુકસાનની પોલીસમાં ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ પાસે ચામુંડા માતાજીના મંદિર નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બકુત્રા તરફથી પૂરઝડપે આવી રહેલી એક બ્રેઝા કારે રસ્તો ક્રોસ કરી રહેલી ભેંસોને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ પાડીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પશુપાલકે આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.ઘટનાની વિગતો અનુસાર, કલ્યાણપુરા ગામના પશુપાલક બાબુભાઇ દલાભાઇ આહીર સાંજના સમયે તેમના ભાઈ મહેશભાઇ સાથે પશુઓ ચરાવીને પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિર પાસે પહોંચતા સામેથી સફેદ કલરની બ્રેઝા કાર ના ચાલક ભરતભાઇ માદેવભાઇ આહીર (રહે. બકુત્રા) એ ગફલતભરી રીતે ગાડી ચલાવી પશુઓને અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં અંદાજે રૂ. 2,00,000 ની કિંમતની બે ભેંસોના મોત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક ડેરીના મંત્રીને જાણ કરવામાં આવી હતી અને પશુ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. જેમણે ઇજાગ્રસ્ત ત્રણ પાડીઓની પ્રાથમિક સારવાર કરી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં કાર ચાલકે નુકસાનીનું વળતર આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં વળતર આપવાનો ઇનકાર કરતા પશુપાલકે પોલીસનો આશરો લીધો હતો. સાંતલપુર પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 325 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#santalpur##RoadAccident

સંબંધિત સમાચાર