ખેડબ્રહ્મા શહેરના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઈવે પર કાર નંબર GJ09BH2512 અને એકટીવા વચ્ચે થયેલી ટક્કરમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઇડરના રહેવાસી રવિ સુથાર અને લક્ષ્મીપુરાના સાગર પંચાલનો સમાવેશ થાય છે. બંનેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ ઇજાઓને કારણે બંનેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં લક્ષ્મીપુરા ગામના નિવાસી મિહિર જોશીને પણ ઓછી-વત્તી ઇજાઓ થઈ હતી. તેમને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે અકસ્માત સર્જાયો : ત્રણ ઘાયલ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા: ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 સામે ગુનો દાખલ, એક ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાતલોદ-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે યુવકોના મોતથી પંથકમાં અરેરાટી
3 દિવસ પહેલા
સાબરકાંઠાડીએપી ખાતરમાં કમરતોડ ભાવ વધારો : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ
3 દિવસ પહેલા
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
1 અઠવાડિયા પહેલા
