કેન્દ્ર સરકારે દેશમાં પ્રવર્તતા ગેસ સંકટની સ્થિતિમાં સુધારો જોતાં, કોમર્શિયલ LPG સિલિન્ડરના સપ્લાય પર લાગેલા તમામ ક્ષેત્રવાર પ્રતિબંધોને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. હવેથી કોમર્શિયલ ગેસનો ૧૦૦% સપ્લાય ફરી શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, દેશમાં ઘરેલું સ્તરે LPGના ઉત્પાદનમાં થયેલો સુધારો અને વિદેશથી આવનારા LPG કાર્ગો સમયસર ભારત પહોંચવાની અપેક્ષાને કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારે અગાઉ સંકટ સમયે ઉદ્યોગો માટે સંપૂર્ણપણે રોકવામાં આવેલી બલ્ક એલપીજીની સપ્લાયને પણ પ્રી-ક્રાઇસિસ લેવલના ૫૦% સુધી પુનઃસ્થાપિત કરી દીધી છે, જેનાથી મોટા ઔદ્યોગિક ગ્રાહકોને ખૂબ મોટો ફાયદો થશે. સપ્લાય ચેઇનમાં સુધારો થતાં હવે પેટ્રોકેમિકલ અને અન્ય ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને તેમનો જૂનો કોટા પાછો મળી શકશે, જેનાથી રિલાયન્સ જેવી મોટી કંપનીઓને મોટી રાહત મળી છે. જોકે, સરકારે આ છૂટછાટ આપવા સાથે એક કડક શરત પણ મૂકી છે કે, દેશમાં ઘરેલું એટલે કે ઘરવપરાશના એલપીજીની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડવી જોઈએ અને દૈનિક ઉત્પાદન ઓછામાં ઓછું ૪૦,૦૦૦ ટન જળવાઈ રહેવું જોઈએ.
કેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઆંતરજ્ઞાતિય લગ્નનું પરિણામ ખૂબ જ ભયંકર હોય છે! પિતાના મૃતદેહને ઉઠાવવા માટે કોઈ ન આવ્યું
2 કલાક પહેલા
રાષ્ટ્રીયલિવ-ઇન રિલેશનશિપનો ભયાનક અંત; સુરતમાં મનીષાએ તેના પાર્ટનરની છરીના ઘા મારીને હત્યા
3 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય નિર્દોષ, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું
3 કલાક પહેલા
રાષ્ટ્રીયત્રિપુરાની રાજધાનીમાં મોટો વિસ્ફોટ; એપાર્ટમેન્ટમાં વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ
4 કલાક પહેલા
