રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા24 જૂન, 2026| Super Admin

ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સીટી, ખેડબ્રહ્મા ખાતે કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકના અધ્યક્ષ ડૉ. એસ.ડી.સોલંકીએ રાસાયણિક નિર્ભરતા ઘટાડી કૃષિ પરિસ્થિતિતંત્રની સ્થિરતા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ વિકસાવવા પર ભાર મૂક્યો હતો, તેમજ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન  અને વાપસા પદ્ધતિના પ્રસાર માટે વિશેષ અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું.કાર્યક્રમમાં કેન્દ્રના વડા શ્રીમતી શિલ્પાબેન પી. રાઠોડે સંસ્થાનો પ્રગતિ અહેવાલ અને આગામી વર્ષનું આયોજન વિગતવાર રજૂ કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ તેમજ તાલીમ વધારવા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં યુનિવર્સીટીના સંશોધન નિયામક ડૉ.એચ.એસ.ભદોરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.પી.એસ.પટેલ, કુલસચિવ ડૉ. પી.ટી. પટેલ સહિત વિવિધ સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, સાબરકાંઠા જિલ્લાના ખેતી તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓ, એન.જી.ઓ. પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha#KhedBrahma

સંબંધિત સમાચાર