રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા27 જૂન, 2026| Super Admin

વિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ

વિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ

વિજયનગર અંતરિયાળ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકામાં આ વર્ષે મહુડાના બીજનું ઉત્પાદન વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. આ અંગેની સંપૂર્ણ માહિતી વિજયનગર તાલુકાના ભાખરા ગામના દિલીપભાઈ ભગોરાએ આપી હતી. તેમને પણ મહુડામાંથી સારી આવક થઈ છે અને ઇન્કમમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સત વરસાદ અને અનુકૂળ હવામાનને કારણે ઉપજમાં વધારો થતાં આદિવાસી બહુલ્ય વિસ્તારોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

સ્થાનિક ખેડૂતો અને વનસંપદા પર નિર્ભર આદિવાસી પરિવારો માટે મહુડાનું બીજ રોકડિયા પાક સમાન છે. આ વખતે ઝાડ દીઠ બીજનું પ્રમાણ વધુ રહેતાં ગામડાઓમાં તહેવાર જેવો માહોલ છે. લોકો સવારથી જંગલ અને વાડીમાંથી બીજ એકત્રિત કરવામાં વ્યસ્ત બન્યા છે.

બજાર ભાવમાં તેજી  

હાલ બજારમાં મહુડાના બીજનો ભાવ 20 કિલોએ ₹1000ની આસપાસ બોલાઈ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ભાવમાં સ્થિરતા હોવાથી ખેડૂતોને યોગ્ય આવક મળી રહી છે. વેપારીઓ પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હોવાથી વેચાણની કોઈ મુશ્કેલી નથી. 

ઉપયોગીતા વધી  

મહુડાના બીજમાંથી નીકળતું તેલ ગ્રામીણ વિસ્તારોમાં રસોઈમાં વપરાય છે. ઉપરાંત આયુર્વેદિક દવાઓ, સાબુ અને કોસ્મેટિક ઉત્પાદનોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. માંગ વધતાં તેલની કિંમતમાં પણ સુધારો નોંધાયો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહુડાની વનસંપદા આદિવાસી અર્થતંત્રનો મહત્વનો આધાર છે. આ વર્ષે સારું ઉત્પાદન થવાથી સ્થાનિક રોજગારી અને આવક બંનેમાં વધારો થયો છે. વિજયનગરના આદિવાસી ખેડૂતો માટે આ વર્ષે મહુડાએ "લીલો દુકાળ" મટાડી દીધો છે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર