રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ10 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ શહેરમાં આદીવાસી દિવસની ઉજવણી અંતગૅત શોભાયાત્રા યોજાઈ…!

પાટણ શહેરમાં આદીવાસી દિવસની ઉજવણી અંતગૅત શોભાયાત્રા યોજાઈ…!
યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે પાટણ શહેરના સૂર્યનગર ભીલવાસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનો જોડાયા હતા. શોભાયાત્રા બિરસા મુંડા ચોકથી પ્રસ્થાન કરી પીપળા ગેટ,ભીલવાસ, ફૂલબજાર, હિંગળા ચાચળ ચોક, બગવાડા દરવાજા, બસ સ્ટેશન, જયવીર નગર રોડ અને પારેવા સર્કલ થઈને પુનઃ સૂર્યનગર ભીલવાસ બિરસા મુંડા ચોક ખાતે સમાપન થઈ હતી. આદિવાસી ભીલ સમાજના લોકોએ પોતાના પરંપરાગત આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેઓએ વિવિધ આદિવાસી વેશભૂષા અને નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. શોભાયાત્રામાં તીર-કામઠા સાથે 'વૃક્ષો બચાવો', 'પ્રકૃતિ બચાવો', 'પાણી બચાવો' અને 'સ્વચ્છતા અભિયાન'ના સંદેશ આપતા ટેબલો પણ સામેલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજે 'એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન'ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરી હતી. શહેરના રાજમાર્ગ પરથી નીકળેલી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનોએ જોડાઈ આદિવાસી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.

સંબંધિત સમાચાર