પાટણમાં મોદીએ કહ્યું- પહેલા કાયમ રેલવે માટે આંદોલન થતા
રાજ્યમાં વિધાનસભાની 182 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ઉમેદવારોનું ભાવિ ગઈકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યું છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે, એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા સભાઓ ગજવશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાને બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે સભા સંબોધી હતી. ત્યારબાદ પાટણ ખાતે સભા સંબોધીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જ્યાંથી વડાપ્રધાન આણંદ જવા રવાના થયા છે. જ્યાં સભાને સંબોધન કરીને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે.