ઉંઝા તાલુકાના ઉનાવા ગામે ઉઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઓચિંતી તપાસ કરતાં હાઈવે પર આવેલ સસ્તા અનાજની દુકાન બંધ જણાતા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા દુકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિગતો અનુસાર ઉંઝા તાલુકાના ઉનાવા ગામે ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઓચિંતી આકસ્મિક તપાસ કરતાં હાઈવે પર આવેલ સોલંકી ઈકબાલખાન દરીયાખાનની સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળી હતી. તેમજ સંચાલકનો ટેલીફોનીક સંપર્ક કરતા ટેલીફોન બંધ જણાઈ આવતાં દુકાનને સીલ કરવામાં આવેલ છે. અને જો મામલતદાર કચેરીની પરવાનગી વગર ખોલવું નહીં કે સીલ સાથે ચેડા કરવા નહીં તેવો હુકમ કરેલ નોટીસ ચોંટાડવામાં આવી છે.





