રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા17 માર્ચ, 2025| Super Admin

થેરવાડા ગામે 2015માં તુટેલ નાળાંને મજુરોના ભરોસે નવિન બનાવાની કામગીરી હાથ ધરાઈ

થેરવાડા ગામે 2015માં તુટેલ નાળાંને મજુરોના ભરોસે નવિન બનાવાની કામગીરી હાથ ધરાઈ

ડીસા તાલુકાના થેરવાડા ગામે પુરમાં સરકાર દ્વારા બનાવેલ પાણીનું નાળું પાણીના વહેણમાં તુટી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જે બાદ ગામ પંચાયત કચેરી સહિત સ્થાનિકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરાઈ હોવા છતાં 2015 માં તુટેલ નાળાંને 2025 માં હવે નવું નાળું બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પણ મજુરોના ભરોસે નવિન નાળાની બનાવાની કામગીરીમાં કોન્ટ્રાકટર કે એન્જિનિયર સહિત કોઈ સરકારી કર્મચારી પણ નજરે પડતાં નથી અગાઉ જ્યારે આ નાળું બનાવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાથી 2015ના પાણીના વહેણમાં આખું નાળું તુટી જવા પામ્યું હતું. જેની શીખ હજુસુધી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હોય તેવું દેખાતું નથી આ બની રહેલ નાળાની બાજુમાં શાળા આવેલ છે. જેમાં 500 થી વધુ વિધાથીર્ઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. નાળું તુટી ગયા બાદ આસપાસના વિસ્તારમાં રહેતાં લોકોને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને આખી રાત જાગીને પાણી ઘરોમાં ના ઘુસી જાય તેનું ધ્યાન રાખવું પડતું હતું હવે જ્યારે સરકારે નવિન નાળું બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નાળું મજબૂત બને અને ભષ્ટ્રાચાર આચર્યા વિના બને તો આવનાર ચોમાસાની ઋતુમાં લોકોને રાહતનો શ્વાસ મેળવી શકે છે.

સંબંધિત સમાચાર