સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી ગઈ હતી. દિયોદર તાલુકાના લુદરા ગામની અર્ચનાબેન ચૌધરી ઉંમર અંદાજે 16 જે તારીખ 16 જુલાઈ 2025 ના રોજ સવારના પોતાના ઘરે લુદરા ગામેથી ગુમ થયેલ હતી. જે અંગે પરિવારજનોને જાણ થતા આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતી. ત્યારબાદ બપોરના સમયે વાવ તાલુકાના દેવપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી સગીરાની લાશ મળી આવતા પરિવારજનોએ આ અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસે મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી લાશ વાલી વારસ ને સોંપી હતી. ત્યારે સગીરાના આકસ્મિક અગમ્ય કારણોસર મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે અને તર્ક વિતર્ક સર્જાયા હતા. આ અંગે મૃતકના પિતા મનજીભાઈ કુવરાભાઈ ચૌધરી દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

ટેગ્સ:#police investigation#Narmada canal#Family Tragedy#Body Found#Public Safety Concerns#Community Reaction#Local Law Enforcement#Deodar Taluka#Accidental Death Case#Devpura Canal#Ludara Village Incident#Missing Minor Girl
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
