ડીસા તાલુકાના ભોયણ ગામમાં જમીન સંબંધિત વિવાદ અને સતત માનસિક ત્રાસના કારણે યુજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી બે પાનાની હસ્તલિખિત સુસાઇડ નોટના આધારે ડીસા રૂરલ પોલીસે ગામના બે શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોયણ ગામે આદર્શ નિવાસી શાળા સામે પ્રીતિનગર રોડ પર રહેતા અને ડીસા યુજીવીસીએલમાં નોકરી કરતા ભરતભાઈ ખેંગારભાઈ પ્રજાપતિ (ઉ.વ. 46) 10 જુલાઈની રાત્રે નોકરી પરથી ઘરે આવી પરિવાર સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા.બીજા દિવસે સવારે તેઓ ખાટલા પર ન મળતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમના ભાઈને વોટ્સએપ પર મોકલેલા સંદેશમાં ઘરની પાછળ હોવાની જાણ થતાં પરિવાર ત્યાં પહોંચ્યો હતો, જ્યાં ભરતભાઈ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી મોબાઇલના કવરમાંથી બે પાનાની હસ્તલિખિત સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં ભરતભાઈએ ખેતરમાં જવાના રસ્તા, શેઢા અને નહેરના ઢાળિયા બાબતે ગામના સોમાભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ રેવાભાઈ પ્રજાપતિના સતત માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનું પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ મામલે મૃતકના નાના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ડીસા રૂરલ પોલીસે બંને આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરતભાઈના અવસાનથી તેમના ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
ડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતદિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત
2 દિવસ પહેલા
