રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત

સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત

જુનાગઢના મજેવડી રોડ પર આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મજેવડી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.ઘટનાની જાણ થતા જ જુનાગઢ પોલીસનો કાફલો તાત્કાલિક મજેવડી બાયપાસ પર પહોંચી ગયો હતો. 108 ઇમરજન્સી સેવા દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો. શું ટ્રકની બેદરકારી હતી કે અન્ય કોઈ ટેકનિકલ કારણ, તે અંગે પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે.
જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અર્ટિગા કાર અને રસ્તા પર બંધ ઉભેલી ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે. અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.બનાસકાંઠા જિલ્લાના એક પરિવારના સભ્યો અર્ટિગા કારમાં સવાર થઈ સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. દરમિયાન મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર રસ્તામાં બંધ હાલતમાં ઉભેલી ટ્રકમાં તેમની કાર પાછળથી ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા.અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ 108 ઇમરજન્સી સેવાની ટીમે પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર