અમીરગઢ તાલુકાના પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર ગંગાસાગર પાટિયા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને એનએચએઆઈ પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, સારવાર દરમિયાન ત્રણ ઘાયલ પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. અન્ય બે ઘાયલોની સારવાર હાલ ચાલુ છે.અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ પી.આઈ.બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે એમ્બ્યુલન્સ અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો.પી.આઈ. ગોહિલના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સનો ડ્રાઇવર જોધપુરથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહ્યો હતો, જેમાં મૃતદેહ સાથે પરિવારના સભ્યો પણ હતા. તેમાંથી એકનું મોત થયું છે અને બેની સારવાર ચાલી રહી છે. જોકે, તેમના સબંધીઓ આવે તે પછી જ સાચી હકીકત બહાર આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું
3 કલાક પહેલા
ઉત્તર ગુજરાતદિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત
2 દિવસ પહેલા
