રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ19 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણમાં ચોમાસામાં રોગચાળો વધતા સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

પાટણમાં ચોમાસામાં રોગચાળો વધતા સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી
પાટણ સિવીલમાં મેલેરિયાના ૮ કેસ અને ડેન્ગ્યુના ૫ કેસ પોઝિટિવ મળ્યા પાટણ જિલ્લામાં ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી, તાવ, ટાઈફોઇડ અને ડેન્ગ્યુ સહિતના રોગોના દર્દીઓની OPD વધારો નોંધાયો હોવાનું સિવિલ સતાધીશો એ જણાવ્યું હતું. છેલ્લા બે મહિનામાં ૧૪૦૦ થી વધુ દર્દીઓના મેલેરિયા ટેસ્ટિંગ કરવામાં આવ્યા. જેમાં ૮  કેસ પોઝિટિવ મળ્યા છે. આ પૈકી ૩ ઝેરી મેલેરિયા અને ૫ સાદા મેલેરિયાના કેસ છે.  જયારે ડેન્ગ્યુના ૫ કેસ અને વાયરલ ફીવરના ૪૦૦ થી વધુ કેસ નોંધાયા છે. પાટણ નગરપાલિકા દ્વારા મચ્છર નિયંત્રણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ફોગિંગ મશીન અને બળેલા ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી. દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન, ઓઇલ અને ગેમેક્સિન પાવડરની ખરીદી છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલ ના OPD વિભાગમાં ત્રણ પંખા બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ બાબતે સિવિલ સતાધીશો એ બંધ પંખા ટુક સમયમાં રીપેરીંગ કરી ચાલુ કરાવવાની ખાતરી આપી છે.

સંબંધિત સમાચાર