રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ26 જુલાઈ, 2025| Super Admin

કેબિનેટ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિ.ખાતે મીની મેરેથોન યોજાઈ

કેબિનેટ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિ.ખાતે મીની મેરેથોન યોજાઈ
કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને બિરદાવતાં કેબિનેટ મંત્રી..! ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે શનિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનને કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કારગિલ યુદ્ધના શહીદોની શૌર્યગાથાને યાદ કરવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુર સુધી યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રગૌરવ અને બલિદાનને નમન કરવાનો દિવસ છે. કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત "મીની મેરેથોન" માં ઉત્સાહ અને ઉર્જા સાથે સૌ લોકો અને વિધાર્થીઓ જોડાયા છે. કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોના બલિદાનને હું વંદન કરું છું. આપણી યુવા પેઢી માટે મેરાથોન માત્ર શારીરિક કસરત નહીં, પણ શિસ્ત, દૃઢ નિશ્ચય, દેશપ્રેમ અને ટીમ વર્ક  ગુણવત્તાઓ વિકસાવવનું ઉત્તમ સાધન છે. આ મેરોથન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું છે. જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે તેમ જણાવી મંત્રીએ કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને  બિરદાવ્યા હતાં.

સંબંધિત સમાચાર