રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ10 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં ભક્તિ સભર માહોલમાં મહાવીર જન્મકલ્યાણક ની ઉજવણી કરાઈ

પાટણમાં ભક્તિ સભર માહોલમાં મહાવીર જન્મકલ્યાણક ની ઉજવણી કરાઈ

મહાવીર સ્વામી જિનાલય ખાતે પંચ કલ્યાણક પૂજા સાથે આંગી સજાવાય; જૈન ધર્મના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ગુરૂવારે પાટણ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે જન્મેલા મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ઢંઢેરવાડામાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં પુજા- આરાધનાનું વિશેષ આયોજન કરાયું હતું. જિનાલયમાં બિરાજમાન પ્રભુ મહાવીરની પ્રતિમાને કેસર,વરખ, ફૂલ, સૂતરના દોરા અને બાદલાથી સુંદર આંગી કરવામાં આવી હતી. જેના દિવ્ય દર્શન કરી સર્વ ભકતોએ ધન્યતા અનુભવી હતી. શહેરના સાલવીવાડા ના શાંતિનેમી મંડળ દ્વારા પંચ કલ્યાણક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. તો પીંપળાગેટ વિસ્તારના પ્રાચીન પંચાસર દેરાસરમાં પણ આ પવિત્ર પ્રસંગે વિશેષ આયોજન કરાયું હતું જેમાં અહીં પાર્શ્વનાથ પ્રભુની સુંદર આંગી રચના કરી જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના અને અભિષેક વિધિમાં ભાગ લઈભક્તોએ ભગવાન મહાવીર સ્વામીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કયૉ હતાં.

સંબંધિત સમાચાર