રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

આખરે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની કામગીરી શરૂ

આખરે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની કામગીરી શરૂ
અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના 120 ગામના 25,000 ખેડૂતોએ કરેલ આંદોલન સફળ; વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોની નર્મદાના પાણી માટેની માંગ સંતોષાઈ છે અને વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે વર્ક ઓર્ડર આપી સિંચાઈ વિભાગે કામ પણ શરૂ કરી દીધું છે. અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના 120 ગામના 25,000 ખેડૂતોએ કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે આંદોલન કર્યું હતું. જે અઢી વર્ષથી લડત ચાલતી હતી. જોકે સરકારે માગણી સ્વીકારી હતી પરંતુ કામ શરૂ ન થયું હતું પરંતુ આજે સિંચાઈ વિભાગે વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવી દીધું છે ત્યારે 540 કરોડના ખર્ચે ઊઝાના મોટી દાઊથી નર્મદાની પાઇપલાઇન કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ સુધી નાખવાનું કામ થશે. જેમાંથી 134 તળાવમાં પણ પાણી ભરાશે. કરમાવદ તળાવને નર્મદાના પાણીથી ભરવા માટેનું કામ શરૂ થઈ જતા આ પંથકના ખેડૂતો પણ સરકારનો આભાર માની રહ્યા છે વડગામ અને પાલનપુર તાલુકાના પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત છે જેથી કરમાવદ તળાવમાં નર્મદાના પાણી આવવાથી આગામી સમયમાં ખેડૂતો સમૃદ્ધ થશે.જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખેડૂતોમાં ખુશાલી છવાઈ: ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં પરિસ્થિતિ ઘણી સારી હતી.દિવસે દિવસે બોર વધી ગયાં એટલે પાણીના લેવલ નીચે જતાં રહ્યાં હતાં.પહેલા 80 ફૂટે પાણી હતાં એના પછી પાણી એટલા ઊંડા જતાં રહ્યાં અને બોરમાં પાણી જતાં રહ્યાં અને બોરમાં નીચે પથ્થર લાગવાથી પાણી આવવાનું બંધ થઈ ગયું જેથી આ પાણી નાખવાથી સરકારનો ઋણ સ્વીકાર કર્યો હતો.

સંબંધિત સમાચાર