- હોમ
- /Uncategorized
- /દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં
દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં

સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સીઝનમાં; પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલું સીઝન દરમિયાન ૫૮૪ ફુટ પાણીનુ લેવલ હોવાથી ખેડૂતોને શીયાળુ સિઝનમાં પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.સિંચાઈ વિભાગ દ્વારા પાલનપુર ડીસા પાટણ સિદ્ધપુર સરસ્વતી સહિતના તાલુકાના ખેડૂતોને ડેમ થકી સિંચાઈનો લાભ મળે છે.
ગઢ બ્રાન્ચ કેનાલ સિંચાઈ પીયત મંડળી સંઘના મંત્રી અશોકભાઈ થેભાતે જણાવ્યું હતું કે
ગઢ બ્રાન્ચ કેનાલ મારફતે પાલનપુર સિધ્ધપુર પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને ત્રણ હજાર હેક્ટર જમીન વિસ્તારમાં પીયત માટે સિંચાઈનો લાભ મળે છે ત્યારે તા ૧૫ નવેમ્બર આસપાસ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે જેમાં કુલ ૩ પિયત રોટેસન નક્કી થયેલ હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
