ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને સિધ્ધપુર એલ.એસ.હાઇસ્કુલ, મુકામે થી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ અને શહેરીજનો જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુરના નગરજનોએ જહેમત ઉઠાવી હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત,જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નગરપાલિકા પ્રમુખ સાથે સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના ઉચ્ચ અધિકા રીઓ,પદાધિકારીઓ જોડાયા હતા.
પાટણ12 ઑગસ્ટ, 2025
સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
