રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એસપીને આવેદન આપી ટિપ્પણી કરનાર ઇસમ સામે પગલાં ભરવા માંગ કરી

બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એસપીને આવેદન આપી ટિપ્પણી કરનાર ઇસમ સામે પગલાં ભરવા માંગ કરી
અમરેલીના શખ્સે જાતિગત અપમાનિત શબ્દોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા રોષ; ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અમરેલીના એક શખ્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજ્યભરના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા જ્ઞાતિગત અપમાનીત કરનાર આ ઇસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલીના વિનોદ ચાવડા નામના ઇસમ દ્વારા સોશિયલ મીડિયામાં ફેમસ થવા તેમજ ગુરુ બ્રાહ્મણ સમાજને નીચું દેખાડવાના ઇરાદે તેમજ સમાજ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવા ગુરુ બ્રાહ્મણ સમાજને જાતિગત અપમાનજનક તેમજ સામાજિક લાગણી દુભાય તેવા શબ્દોનો વાણી વિલાસ કરતો વીડિયો બનાવી આ વીડિયો તેના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જેને લઇ સમગ્ર રાજ્યના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ વિનોદ ચાવડા નામના ઇસમ સામે કડક કાર્યવાહી કરવા દરેક જિલ્લામા આવેદનપત્ર અપાઇ રહ્યા છે. ત્યારે ગુરુવારે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આ મામલે લેખિતમાં આવેદનપત્ર આપી તેમની લાગણી દુભાવનાર અમરેલીના વિનોદ ચાવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર