સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
સાબરકાંઠા19 માર્ચ, 2026
હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ભીષણ આગ : ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
1 દિવસ પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
