રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ11 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું
લાયબ્રેરીમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ એકી સાથે અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે એક નવી અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન ગુરૂપૂર્ણિમા ના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. પાલનપુરના પોલીસ ઈન્સપેક્ટર સૂરજભાઈ પટ્ટણીના પ્રયાસોથી આ લાયબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઈવે પર આવેલા ઓમ વેદાર્ક કોમ્પ્લેક્ષમાં સ્થાપિત કરવામાં આવી છે. લાયબ્રેરીનું ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીની સુવિધા લીલા મંગળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવી છે. અમદાવાદ બાદ દેવીપૂજક સમાજની આ બીજી હાઈટેક લાયબ્રેરી પાટણમાં કાયૅરત બની છે. આ લાયબ્રેરીમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા છે. અહીં UPSC, GPSC અને વર્ગ 1, 2, 3ની પરીક્ષાઓ માટેના તમામ પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાયા છે. વિદ્યાર્થીઓને એસી, ફ્રી વાઈ-ફાઈ, આરઓ પાણી જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. દર શનિ-રવિવારે નિષ્ણાત શિક્ષકો દ્વારા કોચિંગ, મોક ટેસ્ટ અને પેપર સોલ્યુશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, અંગ્રેજી, વ્યાકરણ અને ગણિત માટે સ્પેશિયલ કોર્સ પણ ચલાવવામાં આવશે. પાલનપુરના પીઆઈ સૂરજભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે તેમણે ગરીબી નજીકથી જોઈ છે. આર્થિક સમસ્યાના કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. ઉદધાટક સાંસદ દેવુસિંહ ચૌહાણે આશા વ્યક્ત કરી કે આ લાયબ્રેરી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર