રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ6 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38 મી શોભાયાત્રા 8 કી.મી.ના પરિભ્રમણ સાથે સંપન્ન બની

પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38 મી શોભાયાત્રા 8 કી.મી.ના પરિભ્રમણ સાથે સંપન્ન બની
પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે છીંડિયા દરવાજા પાસેના ગામ રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા 38 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિના દ્રારા આયોજિત અલગ અલગ બે રથયાત્રા સાથે વિવિધ આકર્ષક ઝાંખીઓ પણ જોડાઈ હતી. બપોરે રામજી મંદિર ખાતે ઉપસ્થિત સંતો- મહંતો અને રાજકીય- સામાજિક આગેવાનો ના વરદ હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળેલ રથમાં અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ અને શ્રીરામ સેવા સમિતિના રથમાં ભગવાન શ્રીરામરામ, ભાઈ લક્ષ્મણ અને માતા સીતાજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 38 મી શોભાયાત્રા મા સૌ પ્રથમવાર ડ્રોન કેમેરાની મદદથી હવામાં ઉડતા હનુમાનજી મહારાઉ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.તો 300 થી વધુ દુર્ગાવાહિનીની બહેનોએ તલવાર રાસનીપ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કયૉ હતાં. બજરંગ દળના યુવાનોએ પણ વિવિધ લાઠી દાવના કરતબો રજૂ કર્યા હતા. શોભાયાત્રા મા પંજાબી ઢોલ,બ્રહ્માકુમારી, રામ-લક્ષ્મણ-જાનકી,શિવ-પાર્વતી,ભારત માતા અને સીતા-લવ-કુશની ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.આઠ કિલોમીટર લાંબા રૂટ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા આઇસ કેન્ડી, ઠંડા પાણી,શરબત અને છાશના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજીની 38 શોભાયાત્રા શહેરના રાજમાર્ગ પરથી પસાર થતાં સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામમય બની ગયું હતું. શોભાયાત્રા ના દશૅન માટે આવતા રામ ભકતોને સેવ- ગુદી અને પંજરી નો 500 કિલોથી વધુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. જયારે શોભાયાત્રા રાત્રે રામજી મંદિર ખાતે સંપન્ન બન્યાં બાદ શોભાયાત્રા મા જોડાયેલા 5 થી 7 હજાર જેટલા રામ ભકતોએ સમરસતા રૂપી રામ ખીચડી નો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી રામચંદ્રજી ના આશીર્વાદ સાથે વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી હતી. ભગવાન શ્રી રામચંદ્રજી ની 38 મી શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, આર એસ એસ ના કાર્યકરો સહિત રામભકતોએ જહેમત ઉઠાવી હતી.

સંબંધિત સમાચાર