થરાદ તાલુકાના ભોરોલ માઈનોર કેનાલની ચોટીલ શાખામાં 20 ફૂટનું મોટું ગાબડું પડવાને કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેમાં ખાસ કરીને જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં પડેલા ગાબડાને કારણે તેમની ત્રણ એકર જમીનમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. પાક લગભગ તૈયાર થવાના આરે હતો ત્યારે આ ઘટના બની હોવાથી ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનાલમાં પહેલાથી તિરાડો પડેલી હતી, જેના કારણે આ મોટું ગાબડું પડ્યું છે. નર્મદા નહેર ખેડૂતો માટે જીવાદોરી સમાન હોવા છતાં, હલકી ગુણવત્તાના બાંધકામને કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે.ખેડૂતોએ નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
થરાદના ભોરોલ માઇનોરની ચોટીલ કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા જીરાના પાકને લાખોનું નુકસાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
17 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
