રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા2 જાન્યુઆરી, 2026| Super Admin

હિંમતનગરના 11 ગામો હુડામાંથી સત્તાવાર રીતે બહાર કરાયા

હિંમતનગરના 11 ગામો હુડામાંથી સત્તાવાર રીતે બહાર કરાયા
જન આંદોલનના પગલે રાજ્ય સરકારની પીછેહઠ રાજ્ય સરકારે હિંમતનગર શહેર માટે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (હુડા) લાગુ કરી હતી. તંત્ર દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના કુલ 11 ગામોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.જેમાં 35 હજાર ખેડૂત ખાતેદારોની મિલકતને અસર થાય તેમ હતી.આ નિર્ણયને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોનું માનવું હતું કે આ યોજના તેમના હિતોને નુકસાન પહોંચાડશે. જેના પગલે ગામ સ્તરે વિરોધ શરૂ કરીને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જે આંદોલન જન આંદોલનમાં ફેરવાતા આખરે સરકારે ઝુકીને નિર્ણય સ્થગિત કરી દીધો હતો અને હવે શહેરી વિકાસ વિભાગ દ્વારા લેખિત પત્ર દ્વારા 11 ગામોને હુડામાંથી બહાર કરી દીધા છે. હિંમતનગરમાં વર્ષ 2015માં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ 11 ગામોના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે તે સમયની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હુડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે ફરી એકવાર એ જ સ્થિતિ સર્જાતા ગામલોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હુડાના ડ્રાફ્ટ પ્લાનમાં લગભગ 40 ટકા જમીન કપાત થવાની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. આ કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અરજીઓ આપીને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેથી સરકારને ફરી પીછેહઠ કરવી પડી હતી.    

સંબંધિત સમાચાર