હિંમતનગરમાંથી LCBએ આર્યુવેદીક દવાઓની આડમાં શંકાસ્પદ કેફી પદાર્થનું વેચાણ કરતા શખ્સ સામે કાર્યાવહી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર ગઈકાલે રાત્રે એક પાર્લર પરથી LCBઆર્યુવેદીક દવાઓની આડમાં શંકાસ્પદ કેફી પદાર્થ વેચાણ કરતા પાર્લર પર રેડ કરી 6 બોટલ ઝડપી લીધી હતી. શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી સેમ્પલ FSLમાં તપાસમાં મોકલી કાર્યવાહી કરાઈ છે.આ અંગેની વિગત એવી છે કે, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ આર્યુવેદીક દવાઓની આડમાં કેફી પદાર્થોનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને લઈને સાબરકાંઠા LCBએ હિંમતનગરના ખેડ તસિયા રોડ પર દિગંબર સમાજવાડી સામે આવેલ રોશની પાર્લર નામની દુકાનમાં શુક્રવારે રાત્રે બાતમી આધારે રેડ કરી હતી. વગર પાસ પરમીટે કોઈપણ આધાર પુરાવા વગર આર્યુવેદીક દવાઓની આડમાં શંકાસ્પદ કેફી પદાર્થનું વેચાણ કરતા 6 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે CRPC 102 મુજબ બોટલો કબજે લઈને FSLમાં તપાસ માટે સેમ્પલ મોકલી આપેલ છે. તો વેચાણ કરતા સુરેશકુમાર અમૃતભાઈ વાઘેલા (દેવી પૂજક), દિગંબર જૈન સમજવાડી સામે, ખેડ તસિયા રોડ,મહાવીરનગર, હિંમતનગર સામે જાણજોગ નોંધી વધુ તપાસ અર્થે હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.
આ અંગે LCB PI એ.જી રાઠોડ અને PSI ડી.સી.પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બાતમી આધારે સ્ટાફ સાથે રોશની પાર્લરમાં રેડ કરી હતી. જેને લઈને તાપસ દરમિયાન ફ્રિજમાં મુકેલ આર્યુવેદીકની 6 બોટલો મળી આવી હતી. ત્યારબાદ રૂ.720નો મુદ્દામાલ કબજે લઈને પાર્લર માલિક સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધીને 6 બોટલો કબજે લઈને તપાસ માટે સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યું છે. તો હવે આ શંકાસ્પદ કેફી પદાર્થની બોટલો કોને આપી? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.