![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-24.jpg)
અપના હાથ જગન્નાથ – બનાસ નદીના પાણીથી ધોવાણ બાદ લોકોએ ફરી રસ્તો બનાવ્યો
બનાસ નદીના કિનારે રેલ્વે પુલની બાજુમાં આવેલો નાનકડું ગામ વીડી તરીકે ઓળખાય છે ત્યારે આ ગામ લોકોનો મુખ્ય સંપર્ક જુનાડીસા સાથે રહેલો છે અને બનાસ નદીમાં જુનાડીસા અને વીડી ગામને જાેડતો કાચો રસ્તો બનાવેલ છે જે રસ્તા નો અન્ય ગામના લોકો પણ ઉપયોગ કરી જુનાડીસા તરફ કે ભીલડી તરફ જવા માટે આ સીધો સરળ રસ્તો હોવાના કારણે સતત લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ બનાસ નદીમાં પાણી આવતા આ રસ્તો બંધ થઈ જતો હોય છે જેથી થોડાક દિવસો અગાઉ બનાસ નદીમાં પાણી આવતા જુનાડીસા અને વીડી ને જાેડતો કાચો રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો જેના કારણે વીડી ગામના લોકોને અન્ય સ્થળો પર જવા માટે ૧૦ થી ૧૫ કિલોમીટર ફરીને જવું પડતું હતું જેથી કરી નદીનું પાણી બંધ થતાં જ ગ્રામજનોએ અપના હાથ જગન્નાથ ના સૂત્રને અપનાવી જાતે જ રસ્તો બનાવી જુનાડીસા ને જાેડતો વાહન વ્યવહાર ચાલુ થતા આજુબાજુના ગામ લોકોને પણ મોટો ફાયદો થયો છે
વીડીમાં પ્રાથમિક શાળા સહિતની સુવિધાઓ રહેલી છે શિક્ષકો સહિત અન્ય લોકો પણ જુનાડીસાથી બનાસ નદીના કાચા રસ્તાનો ઉપયોગ કરી માત્ર બે કિલોમીટરનું અંતર રહેલું છે જેથી આ રસ્તો સીધો પડતો હોવાથી લોકો વધુ પ્રમાણમાં આ અવર જવર કરતા હોય છે.
પરંતુ બનાસ નદીમાં પાણી આવે તો આ રસ્તો બંધ થઈ જતો હોય છે જેથી આ લોકોને કુપટ કે વડાવળ ગામથી જવું પડતું હોય છે જે ૧૦ થી ૧૫ કિલોમીટર જેટલું અંતર વધી જાય છે.
ચોમાસામાં દર વર્ષે બનાસ નદીમાં પાણી આવે ત્યારે આ રસ્તો નું ધોવાણ થઈ જતું હોય છે અને મોટા ખર્ચે ફરી પાછો રસ્તો ગ્રામજનોને જાતે જ બનાવવો પડતો હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિડી અને જુનાડીસા ગામને જાેડતા બનાસ નદીમાં ડીપ રસ્તો બનાવવામાં આવે તો દર વર્ષે તેનું ધોવાણ પણ ના થાય ત્યારે ગ્રામજનો આ રસ્તા ઉપર ડીપ બનાવવા માટે માંગ કરી રહ્યા છે