રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા13 જુલાઈ, 2025| Super Admin

ડીસાના આસેડા ગામે પશુ દવાખાનામાં ગેટ પર જ પાણી ભરાતા હાલાકી

ડીસાના આસેડા ગામે પશુ દવાખાનામાં ગેટ પર જ પાણી ભરાતા હાલાકી

ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલા પશુ દવાખાનાના મુખ્ય ગેટ સામે જ પાણી ભરાઈ જવાના કારણે પશુપાલકો અને બીમાર પશુધનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ સમસ્યાએ માથું ઉંચક્યું છે, જેના પરિણામે પશુઓને દવાખાના સુધી પહોંચાડવામાં અને સારવાર મેળવવામાં અસહ્ય મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આસેડા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક પશુપાલકો પોતાના બીમાર પશુઓની સારવાર માટે આ દવાખાના પર નિર્ભર છે. જોકે, દવાખાનાના મુખ્ય પ્રવેશદ્વાર પર જ વરસાદી પાણીનો ભરાવો થતા પશુપાલકોને કાદવ-કિચડમાંથી પસાર થઈને પશુઓને અંદર લઈ જવા પડે છે, જે ખાસ કરીને મોટા પશુઓ અને ગંભીર બીમારીથી પીડાઈ રહેલા પશુઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત, પાણી ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ સર્જી શકે છે. સ્થાનિક પશુપાલકો દ્વારા તંત્રને આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે દવાખાનાના ગેટ આગળ ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવામાં આવે જેથી પશુપાલકો અને તેમના મૂંગા પશુધનને આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સંબંધિત સમાચાર