દેવાધિદેવ ભગવાન શિવજીને અતિ પ્યારો એવો શ્રાવણ માસ અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે આજે શ્રાવણનો છેલ્લા સોમવાર છે અને આવતા શનિવારના રોજ શ્રાવણ માસની પુર્ણાહુતી થશે જેને લઇ શિવભક્તો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણમાસના છેલ્લા સોમવારને લઇને વિવિધ મંદિરોમાં વિશેષ શ્રૃંગાર કરાશે અને વિવિધ પૂજા અર્ચના કરાશે પરંતુ શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાલારામ અને વિશ્ર્વેશ્વર માં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ રહેતી હતી. મંદિર પ્રશાસન દ્વારા પણ છેલ્લા સોમવાર ને લઇ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે અને મેળા જેવો માહોલ જામતો હોય છે. ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ છેલ્લા સોમવારના દિવસે જિલ્લાના અનેક પ્રાચીન-અર્વાચીન શિવ મંદિરોમાં ભક્તોની પણ ભીડ રહશે ત્યારે અંતિમ દિવસોમાં પહોંચેલા પવિત્ર શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસોમાં ઠેરઠેર યજ્ઞો પણ કરવામાં આવતા હોય છે જેને લઇ શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં શીવ મંદિરોમાં વિશેષ માહોલ જોવા મળશે.
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર : બાલારામ સહિત વિવિધ સ્થળોએ લોકમેળો પણ ભરાશે

ટેગ્સ:#Banaskantha District#Lord Shiva#Devotee Gathering#Shravan Month#Temple Celebrations#Last Monday of Shravan#Balaram Temple#Vishweshwar Temple#Yagna Rituals#Religious Fair
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
