પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,જિલ્લાવિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારે વરસાદના કારણે ખાસ કરીને સાંતલપુર તાલુકાના વૌવા ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા SDRF ની ટીમ દ્વારા જ ૨૭ લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
સાંતલપુરના વૌવા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ૨૭ લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણના જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં આકસ્મિક આગ લાગતા અફડાતફડી મચી
2 દિવસ પહેલા
પાટણચાણસ્મામાં વ્યાજખોરોનો આતંક: 4 લાખ સામે 14.49 લાખ વસૂલ્યા
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો
3 દિવસ પહેલા
