ટાકરવાડાથી અંબિકાનગર (અમદાવાદ) ની શરૂ કરાયેલ બસને ગઢ સુધી લંબાવવાની માંગ ઉઠી

ગઢથી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઇ હતી; અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો થઇ શકે; પાલનપુર તાલુકાના ગઢ ગામથી અમદાવાદને જોડતી ગઢ -અંબિકાનગર એસટી બસ વર્ષો અગાઉ ચાલતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી હતી અને ફરી આ બસ ટાકરવાડાથી અંબિકાનગર સુધીની બસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બસને ગઢ ગામ સુધી લંબાવવાની માંગ ઉઠી છે.
પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામ તેમજ આજુબાજુના ગામના લોકો ધંધાર્થે અમદાવાદ સાથે સંકળાયેલા છે તેમજ કેટલાક લોકો અમદાવાદ સ્થાઇ થયેલા હોઇ એસટી નિગમ દ્વારા વર્ષો પહેલા ગઢથી અંબિકાનગર (અમદાવાદ) રૂટની બસ ચલાવવામાં આવતી હતી. જેને સારા એવા મુસાફરો પણ મળતા હતા પરંતુ એસટી નિગમે આ બસ બંધ કરી દીધી હતી જેને લઇ ગઢ વિસ્તારમાં લોકોને અમદાવાદ જવા માટે પાલનપુર સુધી લાંબા થવું પડી રહ્યુ છે જોકે એસટી નિગમે ગઢ રૂટથી બંધ કરેલ બસ ટાકરવાડાથી શરૂ કરી છે ગઢ વિસ્તારના લોકોને આ બસનો લાભ મળી રહે તે માટે ટાકરવાડા અંબિકાનગર (અમદાવાદ) બસને ગઢ સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે પાલનપુર વિભાગીય એસટી નિયામક આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવો લોકોનો સુર ઉઠવા પામ્યો છે.
ટેગ્સ:#infrastructure development#Palanpur Taluka#Public Transportation#Bus Service Demand#Garh Village#Takarwada-Ambikanagar Route#Ahmedabad Connectivity#ST Corporation#Local Community Needs#Commuter Challenges
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
