રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

અમદાવાદની સ્કુલમાં છાત્રની હત્યાનો વિરોધ પાલનપુરમાં સિંધી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

અમદાવાદની સ્કુલમાં છાત્રની હત્યાનો વિરોધ પાલનપુરમાં સિંધી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર
આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ; અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે સિંધી સમાજે કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેમાં ધો.10માં અભ્યાસ કરતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થઈ હતી. જે બનાવને પગલે વિદ્યાર્થીઓની સલામતીને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. ત્યારે આ હત્યાને વખોડી કાઢતા પાલનપુર સિંધી સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શાળા-કોલેજોમાં બનતી ગુના ખોરીની ઘટનાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી. આ હત્યાના ગુનાના આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ કરાઈ હોવાનું સિંધી સમાજના અગ્રણી ગિરધારીલાલ ગેહાનીએ જણાવ્યું હતું. આ ઘટનામાં શાળા સંચાલકો સામે પણ પગલાં ભરવા ની માંગ કરતા સિંધી સમાજે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી અંબાલાલ રંગવાણી, ગિરધારી લાલ ગેહાની, ઠાકોરદાસ ખત્રી, જયાબેન, પરમેશ્વરીબેન સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર