અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં એગ્રો મંડળી ચાલે છે. જે મંડળી માંથી ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને દવાની ખરીદી કરી હતી. અને તે વાવણી કર્યા બાદ પણ ના ઊગતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં સ્થિત સહકારી મંડળીમાંથી મગફળી બિયારણ અને દવાની મોંઘા ભાવની ખરીદી કરી પરંતુ વાવણી બાદ ઊગ્યા ના હોવાથી ખેડૂતોએ સહકારી મંડળી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે મંડળી સંચાલક દ્વારા આશ્વાસન તેમજ કંપની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.





