અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર બાંધકામો સામે 'આપ' અને જાગૃત નાગરિકો લાલઘૂમ
11 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ
13 કલાક પહેલા
બનાસકાંઠાબનાસ ડેરીની અનોખી પહેલ: સતત 6ઠ્ઠા વર્ષે 'સીડબોલ ફોર ગ્રીન વોલ' અભિયાન શરૂ
13 કલાક પહેલા
