રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા4 જુલાઈ, 2026| Super Admin

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

46.jpg 177.12 KB
ઈકબાલગઢ નજીક બનાસ નદી પર આવેલ પુલનું સમારકામ 2 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી 10થી 15 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કામગીરી અધૂરી રહેતાં વધુ 30 દિવસનો સમય વધારવામાં આવ્યો હતો. જોકે વધારાની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પુલનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. આ દરમિયાન ચોમાસાની શરૂઆત થતાં ડાયવર્ઝન માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
45.jpg 159.66 KB
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. લોકોને રોજિંદી અવરજવર, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  "જો આગામી એક અઠવાડિયામાં બનાસ બ્રિજનું સમારકામ પૂર્ણ નહીં થાય તો સ્થાનિક લોકો આંદોલન કરશે. સ્થાનિકોની માંગ છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને બનાસ બ્રિજનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે. હવે તંત્ર લોકોની માંગને કેટલા સમયમાં સંતોષે છે તેના પર સૌની નજર છે.

સંબંધિત સમાચાર