રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ; સ્થાનિકોમાં ભારે રોષ

ધાનેરાના સોતવાડા ગામે ગંદકીથી રસ્તો બંધ; સ્થાનિકોમાં ભારે રોષ
ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેની વસ્તી ૩,૦૦૦ ની છે. જ્યાં નક્કર કામ થતા નથી અને જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વર્તમાનમાં ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શુ છે? જ્યાં સતત ત્રણ વર્ષથી સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ રહ્યા છે. જેના પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જવાની સ્થિતિમાં હોવાથી રાહદારી, ખેડૂતો, પશુપાલકો અને બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં સરપંચ જાણે કઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે. સોતવાડા ગામની ગટર લાઈનમાં ગરબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા છે, ત્યારે આ બાબતે ગામલોકોએ પંચાયતને રજુઆત પણ કરી હોવા છતાં કઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ સરપંચ અને પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને લેખિત રજુઆત કરતા સરપંચે આકરા તેવર બતાવી રજુઆત કરનારને દબાણ મુદે નોટીસ ફટકારી દબાણ લાવવાની કોશિશ કરી છે. આ સાથે ગટરના પાણી બહાર આવતા હોવાથી રીપેર કરવાની જગ્યાએ તેના પર માટી નાખી દેતા કાદવકીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ થયો હતો. આમ ગામમાં સરપંચ તરીકે સિવાભાઈ ઠાકોર આવ્યા બાદ પણ ગટરલાઈન, સાફ-સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યા છે. ગામમાં જે બોર છે તે પણ બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રીપેરીંગ ન થતા ગામલોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડી રહ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર