રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું
ખેતરમાં 12 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં દહેશત; પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે ખેતર વિસ્તારમાં ઘસી આવેલ વિશાળ કાય ધરાવતાં એક અજગર એક શ્વાનના શરીર પર વીંટળાઈ જતા શ્વાસ રૂંધાઇ જવાના કારણે શ્વાનનું મોત નિપજ્યું હતું. જોકે આ અજગર કોઈ અન્ય નુકશાન પહોચાડે તે પહેલા વન વિભાગની ટીમે રેસ્કયું કરીને અજગરને પકડી પાડી તેને બાલારામ નજીક જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનને લઇ સરીસૃપ પ્રજાતિના ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે વીરચંદભાઇ કરશનભાઇ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં એક 12 ફૂટ લાંબો અજગર આવી ચડયો હતો અને આ અજગર એક શ્વાન સાથે વીંટળાઈ જતા શ્વાનનું મોત નિપજ્યું હતું. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવ અંગે વન વિભાગમાં જાણ કરવામા આવતા ફોરેસ્ટની ટીમ દોડી આવી રેસ્ક્યુ કર્યું હતું જેમાં અજગરને શ્વાનથી છૂટો કરી તેને સહી સલામત રીતે બાલારામ જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સંબંધિત સમાચાર